અમદાવાદ: કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે અશોક ગેહલોતે GPCC ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે ચર્ચા કરી છે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.
આ દરમિયાન અશોક ગેહલોતે જણાવ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રવાસ આવ્યા બાદ ગુજરાતમાં બદલાવ આવ્યો છે. તેમજ ગુજરાતની અસર બીજા રાજ્યોમાં પણ જોવા મળશે. તો બીજી તરફ તેમણે પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા વાળા નેતાઓ વિશે કહ્યુ કે પક્ષના વિરૂદ્ધ કાર્ય કરવા વાળા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.