ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ તરફ અરવલ્લીના ભિલોડામાં અનીલ જોશીયારાએ મામલતદાર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
બીજી તરફ આંકલાવમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ફોર્મ ભર્યુ હતું. તો બોરસદમાં રાજેન્દ્રસિંહ પરમારે બાઇક રેલી યોજી ઉમેદવારી નોંધાવી હતી.
ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ભાજપ-કોંગ્રેસ બંને દ્વારા 70 ટકા બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે તે લોકો ઉમેદવારી ફોર્મ ભરવામાં લાગી ગયા છે. આજે ભિલોડા આંકલાવ અને બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે.