અમદાવાદઃ કોંગ્રેસ PAASના 8 કન્વીનરોને ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે PAASને મનાવવામાં કોંગ્રેસને સફળતા મળી છે. ત્યારે કોંગ્રેસ ધોરાજીથી લલિત વસોયાને ટિકિટ આપી શકે છે. બોટાદથી દિલીપ સાબવાને આપે તેવી શક્યતાઓ છે. તો મોરબીથી મનોજ પનારાને ટિકિટ આપવામાં આવી શકે છે.
સાબરમતીથી અતુલ પટેલને ટિકિટ અપાય તેવી શક્યતા છે. નિકોલથી ગીતા પટેલને ટિકિટ આપી શકાય છે. ઠક્કરબાપાનગરથી જયેશ પટેલે ટિકિટ માગી છે. પાટણથી કિરીટ પટેલ ગોધરાથી ઉદય પટેલને ટિકિટ અપાય તેવી શક્યાતાઓ છે.