ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોગ્રેસ બંને રાજકીય દળના નેતા અને સ્ટાર પ્રચારકો અમદાવાદ અને ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
કોગ્રેસને સમર્થન પુરુ પાડવા વરિષ્ઠ નેતા અજય માકન કોંગ્રેસ કાર્યલય ખાતે આવ્યા હતા જ્યાં તેમણે ભાજપ સરકારની નીતિઓનો ઉઘડો લીધો.
કોગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકનને ચુંટણી પહેલાં FDRI બિલની ઝાટકણી કાઢી હતી તેમણે કહ્યું કે સરકાર લોકોના પૈસા દ્વારા એનપીએ સુધારવા માંગે છે.
તેમણે મોટી કંપની અને વેપારીઓ તરફ હુમલો કરતા કહ્યું કે કુલ એનપીએનો 25 ટકા એનપીએ 12 કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. FDRI ઠરાવ હેઠળ જો બેંક કે નાણાકીય સંસ્થાને લાવવામાં આવશે તો લોકો બેઠક માંથી પૈસા કાઢવાનું શરૂ કરશે.
આનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પણ પડી શકે FDRIઠરાવ હેઠળ જો જરૂર પડે તો બેંક પોતાના કુલ રોકાણની કેટલીક ટકા રકમ ઈકવિટી શેરમાં ફેરવી શકે છે.
સરકાર આ પૈસા તેમની પંસદગીના કોઈ વ્યકિતને આપી શકે છે તેવો આક્ષેપ માકનને કર્યું. ભાજપ પર પ્રહારો કરતા માકનને કહ્યું કે 2013ની સરખામણીમાં 2017માં એનપીએમાં 3.11 ગુણો વધારો જોવા મળ્યો છે.