બનાસકાંઠાઃ રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે રાહુલ ગાંધી બનાસકાંઠાના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે બનાસકાંઠામાં વધુ બે મંદિરોના દર્શન કરશે. કોંગ્રેસમાં સોફટ હિંદુત્વ જોવા મળી રહ્યું છે. એન્ટોની સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસે સોફટ હિન્દુત્વ અપનાવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતના વિવિધ 10થી વધુ મંદિરોના દર્શન કર્યા છે.
આજે રાહુલ ગાંધી થરા સ્થિત વાડીનાથ મંદિરમાં શીશ ઝુકાવશે. વાડીનાથ મંદિર માલધારીઓ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. થરા બાદ ટોટાણા મંદિરના દર્શન કરશે. સોમવારે શંખેશ્વર જૈન દેરાસરમાં જશે. અને શક્તિપીઠ બહુચરાજીના દર્શન કરશે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી હિંદુઓના આસ્થાના સ્થળોની મુલાકાત કરી રહ્યા છે.