જામનગર: ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરાઈ છે.મળતી માહિતી પ્રમાણેકોંગ્રેસના લીગલ સેલ દ્વારા જિતુ વાઘાણી સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરાઈ હતી.
કોંગ્રેસ લીગલ સેલનો આક્ષેપ છે કેજિતુ વાઘાણીએ સોશિયલ સાઈટ્સ પર ભાજપ તરફી ઓપિનિયન પોલ જાહેર કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે. ત્યારે કોંગ્રેસની ફરિયાદ સામે ચૂંટણીપંચ કેવા પ્રકારની પગલા ભરે છે તે જોવું રહ્યું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી સામે ફરિયાદ
જિતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ચૂંટણીપંચમાં કરાઇ ફરિયાદ
સોશિયલ સાઈટ પર ભાજપ તરફી ઓપિનિયન પોલ જાહેર કર્યો હતો