વડોદરાઃ શહેરમાં આવેલ સુમનદીપ વિદ્યાપીઠમાં 7 વર્ષ પહેલા મનસુખ શાહ લાંચનો મામલે પ્રકાશ વશરામ લૈયા અહિર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે મનસુખ શાહ પર વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. મનસુખ શાહ પર મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે 10 લાખ રૂપિયાની લાંચ લેવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે મનસુખ શાહ સહિત તેમના પુત્ર અને 2 પીએ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત તે સમયના રજીસ્ટ્રાર સામે પણ લાંચ માંગવામાં આવી હોય તેવી ફરિયાદ કરવામાં આવી છે. મનસુખ શાહ પર 7 વર્ષ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે યુનિવર્સિટીના સંચાલક રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અને તપાસ દરમિયાન કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા.
લાંચના આરોપી ડો. મનસુખ શાહ લાંચ કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ કાયદેસરની ફી જમા કરાવી હોવા છતાં પણ વધારાની રકમ માંગતો હતો અને જો ન આપે તો મનસુખ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપીને નાણાં પડાવતો હતો. સમગ્ર ઓપરેશનને ભરત સાવંત અને અશોક ટેલર ઓપ આપતા હતાં. વિદ્યાર્થીનીના વાલી પાસેથી 10 લાખની લાંચ લેવાય હતી. જેને લઇ આરોપી મનસુખ શાહ સામે વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે.