18 ડિસેમ્બર 2017ના રોજ એક વિશેષ મહાયોગ બનવા જઇ રહ્યો છે. આ મહાયોગ 3 વર્ષ બાદ સર્જાઇ રહ્યો છે. આ મહાયોગ તમારી કુંડળીમાં રહેલા વિવિધ દોષના નિવારણ માટે ખાસ છે.
પરંતુ આ દિવસે તમે કોઇ દોષ નિવારણની વિધી કરાવવાનું ચુકી ગયા તો પછી તમારે 11 વર્ષ રાહ જોવી પડશે. એટલે કે હવે આ યોગ 2017 પછી છેક 2028 માં સર્જાશે.
ઉલ્લેખીય છે કે પોષમાં આવનારી આ અમાસ આ વખતે એક ખાસ યોગ લઇને આવી રહી છે. એવું કહેવાય છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને પુજા-પાઠ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે 18 મી ડિસેમ્બરે પુજા-પાઠ કરવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે.
જે લોકોની કુંડળીમાં વિષ યોગ કાલસર્પ યોગ કાલ સર્પ દોષ અમવાસ્યા દોષ છે તેવા લોકોએ પોતાના દોષનું નિવારણ આ દિવસે કરી શકશે. આ સાથે પિત્રુને લગતું કોઇપણ કામ પણ આ દિવસે શક્ય બની શકશે.
સોમવતી અમાસના દિવસે સુર્યદેવને તાંબાના વાસણમાં લાલ ચંદનમાં ગંગા જળ મેળવીને ॐ पितृभ्य नमः ના બીજ મંત્રનું ઉચ્ચારણ કરીને 3 વાર અર્ઘ આપવાથી ઘણો ફાયદો થાય છે.