કચ્છઃ UPના CM યોગી આદિત્યનાથના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે કચ્છમાં ગૌરવયાત્રામાં સામેલ થશે. અને કચ્છમાં સભાઓ સંબોધશે. આજે રાત્રે 10 કલાકે તેઓ ગુજરાતથી ઉત્તરપ્રદેશ પરત જવા રવાના થશે. ભાજપે ગૌરવયાત્રાને પ્રતિસાદ મળે તે માટે પ્રચારમાં દિગ્ગજોની ફોજ ઉતારી છે. જેના ભાગ રૂપે યોગી આદિત્યનાથ ગુજરાતમાં આવી પહોંચ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમનો આજે બીજો દિવસ છે. તેઓ વાપીથી પારડી પહોંચ્યા હતા. ગૌરવયાત્રામાં ભાગ લેવા આવેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ જાહેરસભા સંબોધી હતી. યોગીએ આપ સૌને જયશ્રી કૃષ્ણા કહીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. યોગીએ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. જ્યારે મોદી સરકારની સરાહના પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે ગઇ કાલે ચીખલીમાં પણ સભા સંબોધી હતી. રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેઓ મંદિરોમાં જઈ ઢોંગ કરી રહયા છે. ગુજરાતમાં ભૂકંપ પૂર જેવી પરિસ્થિતિમાં તેમને ગુજરાતની યાદ કેમ ન આવી ? યુપીએ સરકારના શાસનમાં ચીનનું લશ્કર સરહદની અંદર ઘૂસી આવ્યું હતું. તેમાં પાકિસ્તાનના આતંકવાદ સામે પણ આ સરકાર મૌન રહી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં ઘૂસી જઈ આતંકવાદીઓનો સફાયો કરી રાષ્ટ્રીય સ્વભિમાનનું ઉદાહરણ પુરુ પાડયું હતું.