લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસ ગોરખપુરની મુલાકાતે છે. સીએમ પોતાના ગોરખપુરમાં અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. યોગી ગોરખપુરમાં ફર્ટિલાઇઝર ફેક્ટરી શુગર મીલ બ્રિઝ જેવી અનેક યોજનાઓનું શિલાન્યાસ કરશે. આ સિવાય સીએમ યોગી સ્થાનિક લોકો સાથે બેઠક પણ કરવાના છે.
બીજા દિવસે યોગી આદિત્યનાથ ગોરખપુર મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. યોગી આદિત્યનાથ 18 ઓક્ટોબરે નાની દિવાળી અયોધ્યામાં ઉજવશે. યોગી આદિત્યનાથ સિવાય રાજ્યપાલ રામ નાઇક સહિત યૂપી સરકારની સમગ્ર કેબિનેટ ભગવાન રામની નગરી અયોધ્યામાં ઉપસ્થિત રહેશે.