ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા છે.નારાજગી બાદ બન્ને પ્રથમ વખત એક મંચ પર હાજર રહ્યા હતા.તો આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી મહેસુલ મંત્રી કૌશિક પટેલ ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના સામજિક અને આર્થિક વિકાસને ધ્યાને રાખીને આ આયોજન કરવામાં આવેલ.આજથી શરૂ થયેલ આ સમિટમાં 32 દેશોમાંથી આશરે 10 000 જેટલાં ડેલિગેટ્સ હાજર રહેવાની શકયતા છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા આ સમિટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યનાં અગ્રણી બિઝનેશમેન અને ગુજરાતના કેટલાક વરિષ્ઠનેતાઓ ખાસ હાજર રહ્યા હતા. વિજય રૂપાણી અને નીતિન પટેલ તાજેતરમાં પદ માટે થયેલ પ્રશ્નબાદ આજે પ્રથમ વખત આ સમિટના સ્ટેજ પર સાથે જોવા મળતાં કૌતુક સર્જાયું હતું.