વાત વચનના પાક્કા એવા CM વિજય રૂપાણીની સોમવારના રોજ રાજકોટની મુલાકાત લીધી હતી. રાત્રે ધોધમાર વરસાદ હોવા છતા CM રૂપાણી એક ગણેશ ઉત્સવના આયોજનમાં હાજરી આપી હતી. કાર્યક્રમ રદ્દ કરવાને બદલે આયોજકને આપેલા વચનનું પાલન કરવા CM વિજય રૂપાણીએ અંધારપટ્ટ હોવા છતા ગણેશ ઉત્સવમાં હાજરી આપી. CM રૂપાણીએ વિઘ્નહર્તા ગણેશની આરતી ઉતારી. ઉલ્લેખનિય છે કે શહેરભરના કેટલાક ગણેશ ઉત્સવમાં હાજરી આપવાનો તેમનો કાર્યક્રમ નક્કી હતો.વરસાદના વિઘ્નને અવગણીને CMએ તેમનું વચન પાળ્યું અને ગણેશજીના ઉત્સવમાં હાજરી આપી હતી.
રાજકોટ માં ગત રાત્રીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 10 થી વધુ જગ્યાએ ગણપતિ ઉત્સવમાં હાજરી આપી હતી .મુખ્યમંત્રી જ્યારે શહેર ના પુસ્કરધામ રોડ પર આવેલા શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતી મહોત્સવમાં પહોંચ્યા એ પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં લાઈટ ચાલી જતા અંધારપટ્ટ થઈ ગયો હતો. વરસતા વરસાદ માં મુખ્યમંત્રી એ પોતાનો કાર્યક્રમ રદ કરવાને બદલે ભીંજાય ને પણ ગણપતિજી ની આરતી ઉતારી હતી. અને લોકોનું અભિવાદન જીલ્યું હતું.