રાજકોટઃ મહાજંગ 2017નું આવતીકાલે પરિણામ આવવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રુપાણીને જીતાડવા માટે અત્યારથી જ યજ્ઞવિધિઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં વણિક અને બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞો શરૂ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરીવાર રાજકોટમાંથી જીતે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે બ્રાહ્મણો અને વણીકોની પ્રાર્થનાનું ફળ મુખ્યમંત્રી રૂપાણીને મળે છે કે નહીં..
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજકારણમાં હાલ કોઇ વિશેષજ્ઞ કે કોઇ રાજકારણી પોતાની જીતનો દાવો કરી શકે તેમ નથી. લોકોનો મિજાજ અને મત કોને પક્ષે છે તે જાણવું અઘરૂ બની રહ્યું છે. તમામ એગ્ઝિટ પોલ ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં કંઇ પણ પરિણામ આવી શકે તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.