નવી દિલ્હી: મેકડોનાલ્ડે કહ્યું કે તેના બ્રાન્ડનેમ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ્સ લિમિટેડે ૬ સપ્ટેમ્બરથી નહીં કરી શકે. તેનો અર્થ એ થયો કે દેશના ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં આજથી મેકડોનાલ્ડ્સના ૧૬૯ સ્ટોર્સ પર બંધની તલવાર લટકી ગઈ છે. CPRL બોર્ડ દિલ્હીમાં ચાલી રહેલા ૫૫ માંથી ૪૩ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરા ૨૯ જૂન ૨૦૧૯થી બંધ કરી રહ્યું છે.
મેકડોનાલ્ડ્સ ઇિન્ડયાના એક પ્રવક્તાએ જણાવ્યું કે ટર્મિનેશન નોટસ પિરિયડ ૫ સપ્ટેમ્બરે પૂરો થઈ ગયો છે. સીઆરપીએલ પાસે મેકડોનાલ્ડ્સની સિસ્ટમ અને તેની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સના ઉપયોગનો અિધકાર રહ્યો નથી. તેનો અર્થ એ છે કે મેકડોનાલ્ડ્સના નામ ટ્રેડમાર્ક્સ ડિઝાઈન બ્રેડંગ ઓપરેશનલ અને માર્કેટિંગ પ્રેક્ટિસ નીતિઓ ફૂડ રેસિપી અને સ્પેશિફિકેશન્સનો ઉપયોગ બંધ કરવો પડશે. અમે અમારા લિગલ અને કોન્ટ્રાક્ચ્યુઅલ રાઈટ્સના અાધારે પગલાં લઈ રહ્યાં છીઅે.
મંગળવારે એક અન્ય ઘટનાક્રમમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે સીટીઆરએલના એમડી વિક્રમ બક્ષીની એ અરજી રદ કરી દીધી છે જેમાં તેમણે ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ રદ કરવા માટે મેકડોનાલ્ડ્સના પગલાંને પડકાર્યો હતો.
બક્ષીએ કહ્યું કે આ પગલાંની પ્રતિકૂળ અસર પડશે. તેમણે એમ પણ કહ્યું કે તેનાથી ૧૦ હજારથી વધુ ભારતીયો કંપની સપ્લાયર્સ અને બિઝનેસ એસોસિએટને ઝટકો લાગશે. સીપીઆરએલ મેકડોનાલ્ડ્સ અને બક્ષીની ૫૦-૫૦ ટકાની ભાગીદારીવાળું જોઈન્ટ વેન્ચર છે. તે ઉત્તર અને પૂર્વ ભારતમાં સ્ટોર્સ ઓપરેટ કરે છે.
૨૧ ઓગસ્ટના રોજ અમેરિકી બર્ગર એન્ડ ફ્રાઇઝચેઇન મેકડોનાલ્ડે સીપીઆરએલ સાથે પોતાનો એગ્રીમેન્ટ રદ કરી દીધો હતો અને તેને કહ્યું હતું કે તે ૧૫ દિવસની અંદર મેકડોનાલ્ડની તમામ બ્રાન્ડિંગ અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ બંધ કરી દે. આની વચ્ચે ડીએલએફ સહિત મેકડોનાલ્ડ્સ આઉટલેટના મોટા સ્ટોર્સ ઓનર્સે કહ્યું કે તેમણે સીપીઆરએલને સ્ટોર્સ ખાલી કરવાની નોટિસ આપી છે.