શ્રીનગરઃ જમ્મૂ કશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ અભિયાનમાં સુરક્ષા દળોને એકવાર ફરી મોટી સફળતા મળી છે. પુલવામામાં સુરક્ષા દળોએ ખૂંખાર આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના કમાંડર વસીમ અહમદ શાહ અને આતંકી નિસાર અહમદ મીરને ઠાર કરવામાં આવ્યો છે.
સવારના સમયે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થઇ ગયું હતું. સુરક્ષા દળોએ લશ્કર એ તૈયબાના કમાંડર સહિત 3 આતંકીઓને ઘેરી લીધા છે. હાલ બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે.