રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચારે બાજુ જામ્યો છે. અનેક આંદોલનકારીઓ પોતાના સમાજની વાતો કરતા કરતા કોઈને કોઈ પક્ષનો હાથ પકડી લીધો છે. તો કેટલાક પીઠ પાછળ રહીને જેતે પક્ષને સમર્થન કરી રહ્યા જેમાં વરુણ-રેશ્મા પટેલે ભાજપનો હાથ પકડી લીધો છે.
તો હાર્દિક પટેલ પીઠ પાછળ કોંગ્રેસને સમર્થન કરી રહ્યો તેમ દેખાય છે. ત્યારે PAASના પૂર્વ કન્વીનર ચિરાગ પટેલે જણાવ્યું છે કે પાટીદાર સમાજે તમામ રાજકીય પક્ષોથી સાવચેત રહેવું પડશે. કોઈ પણ રાજકીય પક્ષઠ સમાજનો ઉપયોગ ન કરી જાય તેનું ધ્યાન રાખવું પડશે.
PAASના પૂર્વ કન્વીનર ચિરાગ પટેલની પ્રતિક્રિયા
"પાટીદાર સમાજે રહેવું પડશે સાવચેત"
"કોઈ પક્ષ સમાજનો ઉપયોગ ન કરી તેનું ધ્યાન રાખવું પડશે"