ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની ચિંતર શિબિરનું આયોજન કરવામાં આવ્યુંહતું.બેઠક બાદ મુખ્યમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગ મહત્વના નિર્ણયો જાહેર કરશે.ખાસ કરીને સરકારી શાળાઓ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચિંતન શિબિરમાં DEO અને DPO તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે એક દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં શિક્ષણ વિભાગના વિવિધ મુદ્દાઓ પર ખાસ મંથન કરવામાં આવેલ.