ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ જમીન વિવાદ ચાલી રહ્યો છે. ચીન પોતની તાકાત બતાવવા માટે થઇ સતત પ્રયત્ન કરી રહ્યો છે. તાજેતરમાં પણ ચીનના અખબાર દવારા એક વિડીયો સંદેશ મારફત ભારતને ધમકી આપવામાં પણ આવી હતી ત્યારે તાજેતરમાં એક નવી ઘટના બનાવ પામી હતી. ચીને ભારતમાં વસતા પોતાના નાગરિકોને એમ્બસી દ્વારા જણાવ્યુ હતુ કે “ ભારતમાં રહેતા ચીનના નાગરિકો પોતાની સુરક્ષાનું ધ્યાન ખાસ રાખે. સંકટ અને બીમારી સમયે પણ પોતાને સુરક્ષિત રાખે.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદનું મુખ્ય કારણ છે કે ચીન દ્વારા આવેલ સિક્કિમના ડોકલામ વિસ્તારમાં એક ખાસ રસ્તો બનાવી રહ્યું છે જેનો વિરોધ મોટા પાયે ભૂતાન અને ચીન કરી રહ્યું છે.આ કારણોસર ચીન દ્વારા ભારતને સતત ધમકી પણ આપવામાં આવી રહ્યી છે. વાત એટલી તો વણસી ગયેલ છે કે ચીન તરફથી મળેલ એક વિડિઓ સંદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય સેનાએ ભારતના વડાપ્રધાનને ગેરમાર્ગે દોરી રહી છે જેનું પરિણામ ભયાનક આવી શકે છે.
સિક્કીમ વિસ્તારમાં રહેલ ડોકલામ જમીન વિવાદને પગલે લગભગ 3 માસથી આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો આમનેસામને આવી ગયા છે. અને હવે તો યુધ્ધના પણ ભણકારા વાગી રહ્યા છે ત્યારે દોઢ માસમાં બીજી વખત ચીને આ એડવાઇઝરિ જાહેર કરી હતી. આ પહેલાં 7 જુલાઈએ બેઈજિંગે એડવાઇઝરી જાહેર કરી હતી.
ચીન સરકાર વતી તેવુ પણ કહેવામા આવ્યુ હતુ કે “ ભારતમાં અમારી એમ્બેસીએ અમારા નાગરિકો માટે સેફ્ટી એડવાઇઝરિ જાહેર કરી છે. જેમાં કહેવાયું છે કે તેઓ ભારતમાં પોતાની સિક્યોરિટીનું ધ્યાન રાખે. એવું પણ કહેવાયું છે કે જ્યાં સુધી બહુ જરૂરી ન હોય ત્યાંની યાત્રા કરવાનું ટાળવામાં આવે.”
એડવાઇઝરિમાં ચીનના નાગરિકોને સલાઈ અપાઈ છે કે ભારતમાં તેઓ પોતાના લોકલ પોલીસ સ્ટેશન કે ચીનના એમ્બેસીના કોન્ટેક્ટમાં રહે. આ ઉપરાંત ભારતમાં રહેતા ચીનના નાગરિકો ટ્રાવેલ સમયે પોતાનું આઈ કાર્ડ સાથે રાખે અને તેની જાણકારી ફેમિલી અને ફ્રેન્ડસને પણ આપે. એવી સલાહ પણ અપાઈ છે કે ચીનના નાગરિક ભારતમાં કાયદા અને ધાર્મિક રીતિ-રિવાજોનું ધ્યાન રાખે.