વિશ્વ સામે ફુંફાડા મારવાનો કોશિશ કરી રહેલા ડ્રેગનને હવે ભૂકંપથી ડર લાગી રહ્યો છે.ડ્રેગનને ડર છે કે તેનું ગ્વાદર બંદરગાહ ભૂકંપમાં વહી જશે.એટલું જ નહીં પરંતુ ડ્રેગને પોતાની ભૂસ્તરશાસ્ત્રી આખી ટીમને સર્વેમાં લગાવી દીધી છે.
ચીન અને પાકિસ્તાનના અંદાજીત 40 જેટલા ભૂસ્તરશાસ્ત્રીઓ હાલના દિવસોમાં બલૂચિસ્તાનના મકરાન સર્વે પર લાગ્યા છે.ચીન તરફથી આ વિસ્તારમાં વિનાશક ભૂકંપ આવવાની આગાહી બાદ ચીનને વ્યૂહાત્મક રૂપથી મહત્વપૂર્ણ ગ્વાદર પોર્ટના બરબાદ થવાની આશંકા છે.
જેને લઈને ચીન આ વિસ્તારમાં સર્વે કરાવી રહ્યું છે.ભૂસ્તરશાસ્ત્રીઓના મતે મકરન એક એવો વિસ્તાર છે.જ્યાં બે ટેક્ટોનિક પ્લેટ મળે છે.આ વિસ્તાર ઊંડા સમુદ્રમાં બની રહેલા પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની ખુબ નજીકમાં આવેલ છે.અને આ પોર્ટને ચીને 40 વર્ષ માટે લીઝ પર લીધું છે.
મહત્વનું છે કે મકરાનનો આ વિસ્તાર ભૂકંપની આશંકા વાળા વિસ્તારમાંનો એક છે.જે પાછળનું કારણ છે કે અરબ સાગરની પાસે આ વિસ્તારમાં જમીનની અંદર બે પ્લેટ મળે છે.મકરાનના આ જ વિસ્તારમાં 70 વર્ષ પહેલા 1945માં સૌથી વિનાશક 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જે બાદ આ વિસ્તારમાં સુનામી આવી હતી.જેમાં ઓમાન પાકિસ્તાન ઈરાન અને ભારતના 4 હજાર જેટલા લોકોના મોત થયા હતા.
આપને જણાવી દઇએ કે ગત વર્ષે પણ આ વિસ્તારમાં જ રિક્ટર સ્કેલમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.એટલે કે જો 70 વર્ષનું ફરી પુનરાવર્તન થાય તો ચાઈનાએ ગ્વાગર બંદર ગુમાવવાનો વારો આવી શકે છે.સાથે જ ચીનની એશિયાથી લઈને આફ્રિકા અને યૂરોપ સુધી વ્યાપાર કરવાની યોજના પર પાણી ફેરવી શકે છે.