બીજિંગ : ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની તખ્તા પલટનાં એક પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. આ પ્રયાસ તેમનાં રાજનીતિક પ્રતિદ્વંદી અને દિગ્ગજ નેતાઓ તરફથી કરવામાં આવી હતી. ચીનનાં એક અધિકારીનાં અનુસાર શી જિનપિંગનાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ ઉઠાવાયેલા પગલાથી આ દિગ્ગજ નેતાઓને ઘણું નુકસાન પહોંચ્યું હતું.
હવે શી ચિનફિંગ ટુંકમાં જ ચીનનાં રાષ્ટ્રપતિ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાનાં જનરલ સેક્રેટરી સ્વરૂપે બીજા ઇનિંદની શરૂઆત કરવાનાં છે. ચીનનાં સેક્યુરિટી રેગ્યુલેટરી કમિશનનાં ચેરમેન લિઉ શિયુએ ખુલાસો કર્યો છે કે એવામાં શીએ તખ્તાપલટનાં પ્રયાસોને નિષ્ફળ કરીને પાર્ટીને ભ્રષ્ટાચારી લોકોથી બચાવ્યા છે.
હોંગકોંગનાં સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનાં અુસાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની પાંચ વાર્ષિક કોંગ્રેસ બેઠક ઉપરાંત એખ પેનલમાં ચર્ચામાં લુઇએ ઘણા ચોંકવાનારા ખુલાસા કર્યા. સીપીસીને 19મી કોંગ્રેસ ઉપરાંત એખ કાર્યક્રમમાં બોલતા લિઉએ આરોપ લગાવ્યો કે પાર્ટીનાં ઘણા કલંકિત કેડર સત્તાનો ખોટો લાભ ઉઠાવી રહ્યા હતા.