બનાસકાંઠાના ડીસામાં મયુર ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકના મોત મામલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ હોબાળો મચાવતા ડોકટર ફરાર થઇ ગયો હતો..ડોકટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનો આરોપ છે.ખેરોલા ગામના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.સમગ્ર મામલે ડીસા ઉત્તર પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડિસા ખાતે આવેલી મયુર ચિલ્ડ્રન હોસ્પિટલમાં નજીકના ગામ ખેરોલાના એક બાળકને સારવાર અર્થે લાવવામાં આવ્યુ હતું.જ્યારે આ બાળકની ડોક્ટર દ્વારા સારવાર ચાલુ હતી ત્યારે અચાનક જ તે બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું.
બાળકનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારજનોએ મયુર ચિલ્ડ્રન હોસ્પીટલના ડોક્ટર પર આરોપ મુકતા જણાવ્યું હતુ કે આ બાળકનું મોત દવાખાનાનાં ડોક્ટરની બેદરકારીને કારણે જ થયું છે.
જો કે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવતા પોલીસનો કાફલો દવાખાને દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. જોકે બાળકના મોતને પગલે પરિવારજનો પર આભ તુટી પડ્યું હતુ.