નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને લગાવવામાં આવેલા આરોપો બાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અટોર્ની જનરલ વેણુગોપાલ સાથે મુલાકાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ બંને મીડિયા સામે આવી શકે છે અને જજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપી શકે છે.
મીડિયા રિપોર્ટો અનુસાર સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ આ મુલકાતાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની ચોંકાવનારી ઘટના થઇ જ્યારે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સામે આવવું પડ્યું.
જસ્ટ્સ ચેલમેશ્વરએ કહ્યું કે ન્યાયપાલિકાના ઇતિહાસમાં આ ઘટના ઐતિહાસિક છે. પહેલી વખત સુપ્રીમ કોર્ટના જજોએ સામે આવવું પડ્યું છે. ચેલમેશ્વરે કહ્યું કે છેલ્લા 2 મહિનાથી સુપ્રીમ કોકર્ટનું પ્રશાસન યોગ્ય ચાલી રહ્યું નથી. ચેલમેશ્વરે આ પ્રકારે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજ પર જ પ્રશ્નો ઊઠાવી દીધા.