છોટાઉદેપુરમાં ટ્રાન્સપોર્ટ કર્મચારીની બેદરકારીના કારણે એક વૃદ્ધનું મોત નિપજ્યું છે.આ ઘટના પાવીજેતપુર બસ સ્ટેશન પાસે બની હતી જ્યાં એક વૃદ્ધ પોતાના પુત્રને બસમાં બેસાડીને પરત ફરી રહ્યા હતા.જોકે તે દરમિયાન એક ટ્રકમાંથી ટ્રાન્સપોર્ટ કર્મચારી કાર્ટુન નીચે ફેંકી રહ્યો હતો.
ટ્રકમાંથી નીચે ઉતારવામાં આવતા મોટા બોક્ષ ટ્રક પાસેથી પસાર થઇ રહેલ વૃદ્ધ પર પડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.જેમાં વૃદ્ધનું નીચે દટાઈ જતાં મોત નિપજ્યું છે.જોકે ગંભીર બેદરકારી બાદ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ ટ્રક મુકીને ફરાર થઈ ગયા હતા.આ તમામ ઘટના નજીકમાં રહેલ CCTVમાં કેદ થઇ જવા પામી હતી.
આ બનાવની જાણ નજીકના પોલીસ મથકે કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.જો કે ટ્રાન્સપોર્ટ કર્મીઓ હતપ્રત થઇ જવાને કારણે ફરાર થઇ જતાં બંને કર્મીને પકડી લેવા તજવીજ હાથ ધરી હતી.