નવી દિલ્હી: ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં વ્યસ્ત રહેવાના કારણે મંગળવારે અર્જુન પુરસ્કાર સમારોહમાં ભાગ લઇ શકશે નહીં. પુજારા અને હરમનપ્રીત કોર એ 17 ખેલાડીઓમાં સમાવેશ થાય છે જેમને 2017 માટે અર્જુન પુરસ્કાપ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પુજારાએ એક નિવેદન આપીને એ માટે પુષ્ટિ કરી છે.
એમને કહ્યું 'અર્જુન પુરસ્કાર માટે હું ખરેખર આભારી છું અને સમ્માનિત મહેસૂસ કરી રહ્યો છું. દુર્ભાગ્યથી હું ઇંગ્લેન્ડમાં નોટિંઘમશર કાઉન્ટી ક્રિકેટ ક્લબ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાના કારણે વ્યક્તિગત તરીકે આ પુરસ્કાર લેવા આવી શકીશ નહીં.' શ્રીલંકા વિરુદ્ધ હાવમાં 3 ટેસ્ટ મેચોની શ્રૃંખલામાં 77.25 ની સરેરાશથી 309 રન બનાવનાર પુજારા હાલમાં શાનદાર ફોર્મમાં છે.
નોંધનીય છે કે પુજારાએ અત્યાર સુધી 51 ટેસ્ટ મેચોમાં 52.65ની સરેરાશથી 4107 રન બનાવ્યા છે.