નવી દિલ્હી: જો તમારું ભારતીય સ્ટેટ બેંકના 5 પૂર્વ સહયોગી બેંકો જેમ કે સ્ટેટ બેંક ઓફ પટિયાલામાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ભારતીય સ્ટેટ બેંકે 5 પૂર્વ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકના ગ્રાહકોને આવેદન કર્યું છે કે એ તરંત અસરથી નવી ચેક બુક માટે આવેદન કર કારણ કે 30 સપ્ટેમ્બર બાદ જૂના બેંકના ચેક માન્ય થશે નહીં અને એ બેકાર થઇ જશે.
ભારતીય સ્ટેટ બેંકે ગ્રાહકોને કહ્યું કે જો એમને હજુ સુધી એસબીઆઇની નવી ચેક બુક માટે આવેદન કર્યું નથી તો તરત કરો કારણ કે જૂની ચેક બુક અને આઇએફએસ કોડ 30 સપ્ટેમ્બર બાદ અમાન્ય થઇ જશે અથવા માન્ય ગણાશે નહીં. સ્ટેસ બેંકે ગ્રાહકોને ાવેદન કર્યું છે કે નવી ચેકબુક માટે ઇન્ટરનેટ બેંકિંગ મોબાઇલ બેંકિંગ એટીએમમાં જઇને તરત આવેદન કરો.
જણાવી દઇએ કે 1 એપ્રિલ 2017 થી ભારતીય સ્ટેટ બેંકમાં સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ સ્ટેટ બેંક ઓફ મૈસૂર સ્ટેટ બેંક ઓફ પટિયાલા સ્ટેટ બેંક ઓઉ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનો વિલય થઇ ગયો છે.