ઘણાં લોકોને રાત્રે ઉંઘમાં ક્યારેક કોઇ ખરાબ સ્વપ્નો આવે અને અચાનક ઉંઘ ઉડી જાય છે અને સફાળા તેઓ પથારીમાં બેઠાં થઇ જાય છે. આવા લોકોએ એક આધ્યાત્મિક મંત્રનો જાપ રોજ સુતા પહેલા કરવાથી અનેક લાભ થતો હોય છે.
રોજ રાત્રે ''ऊं सा ता ना मा" મંત્રનો પાઠ કરવાથી મગજની અંદર રહેલી નસોને આરામ મળે છે અને એકદમ નિરાતે ઉંઘ આવે છે.
જો કોઇને કામનું ભારણ વધારે રહેતું હોય અને તેના કારણે મન તણાવગ્રસ્ત સ્થિતિમાં રહેતું હોય તો તેવા લોકોએ "हर हर मुकुन्दे" મંત્રનો જાપ કરવો ખુબ લાભદાયક છે.
ભગવાન ગણેશને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે રાતે સુતા પહેલાં "ऊं गन गणपतये नम:" નામક ગણેશ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાનું નિરાકરણ આવશે.
રોજ રાત્રે જો ખરાબ સ્વપ્ન આવતા હોય અથવા દિવસ દરમિયાન બેચેની જ રહેતી હોય તો આ લોકોએ હનુમાનજીનો 'शाबर मंत्र' નો જાપ કરવાથી અનિદ્રામાંથી મુક્તિ મળે છે અને ભુત-પ્રેતનો ડર પણ સતાવતો નથી.