આજે મધ્ય રાત્રિથી ભારત દેશમાં કેટલાક સમયથી અમલી બનેલ નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. આજ રાતનાં 12 વાગ્યાથી જુના નિયમો બદલાઇ રહ્યા છે જેની અસર દેશની દરેક વ્યક્તિને થશે. આ નિયમો આ મુજબ છે.
- SBI માં ખાતા ધરાવતા લોકોએ હવે મિનીમન બેલેંસ 5000 રાખવાની જરૂર નથી. આજ રાતથી સીટીમાં મીનીમમ બેલેંસ 5000 ને બદલે ઘટાડીને 3000 કરવામાં આવી છે. જ્યારે મીનીમમ બેલેંસ નહીં ધરાવતા ખાતા પર 40 થી 100 ઉઘરાવવામાં આવતો તે ઘટાડીને 25 થી 75 કરી દેવામાં આવેલ આવેલ છે. ઉલ્લેખનીય છે કે બેંકના એક નિયમમાં આવેલ બદલાવની અસર પાંચ કરોડ ખાતા ધરવતા લોકોને અસરકર્તા થશે છે.
- જો ખાતુ એક વર્ષથી જુનુ હશે તો SBI માં ખાતું બંધ કરવાનો ચાર્જ હવેથી વસુલવામાં નહીં આવે.પરંતુ જો ખાતુ તે મર્યાદાથી ઓછી હશે તો 500+GST વસુલામાં આવશે.
-જે લોકો પાસે SBI માં મર્જ થયેલી બેંકોની ચેકબુક છે તે બેંકની જૂની ચેકબુક અને IFSC કોડ 30 સપ્ટેમ્બર બાદ માન્ય રહેશે નહીં.
- આજે મધ્યરાત્રિથી તમામ નેશલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ રહી છે. જો તમે પોતાની ગાડી પર RFID ટેગ લગાવી હશે તો તમારે ટોલ પર રોકાવાની જરૂર નહીં પડે.
-કોલ રેટમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. ટ્રાઇએ કેટલાક અંશે રેટમાં ઘટાડો કર્યો છે. ભારતમાં કાર્યરત મોબાઇલ કંપનીઓ પણ કોલરેટમાં ઘટાડો કરી શકે છે પરંતુ હજુ સુધી કોઇ જ કંપનીએ આ અંગે કોઇ જ પ્રકારની સ્પષ્ટતા કરી હોવાનું ધ્યાને આવ્યુ.