ગીર-સોમનાથઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. અમરેલીમાં ધોધમાર વરસ્યો ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.
સૌરાષ્ટ્રમાં અને દ.ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ ફેલાઇ ગયું છે.