વિશ્વ વિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગના કોલગેસથી ફેલાતાં પ્રદૂષણનો મામલો ગંભીર બનતો જાય છે. સિરામિક કંપનીઓ દ્વારા કોલગેસ રૂપી જૈવિક કચરાના નિકાલમાં બેદરકારીની અનેક ફરિયાદો અવારનવાર ઊઠતી રહે છે ત્યારે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ મોરબીની મુલાકાત લઈને કોલગેસના પ્રદુષણ મામલે તપાસ હાથ ધરી હતી.
આ ટીમ દ્વારા કોલગેસથી પ્રદૂષિત સ્થળો કારખાનામાં ગેસીફાયર પ્લાન્ટની ટેકનોલોજીની ચકાસણી તથા વેસ્ટ નિકાલની વ્યવસ્થા વગેરે બાબતે ચકાસણી હાથ ધરાઈ છે. તપાસ બાદ એક મહિનામાં પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને આ સમિતિ દ્વારા અહેવાલ સોંપવામાં આવશે.