કાશ્મીરમાં લાંબા સમયથી ચાલી રહેલ ગતિરોધની વચ્ચે કેન્દ્ર સરકારે ફરીથી એક વખત ત્યાં વાતચીત દ્વારા આ બાબતનો ઉકેલ લાવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. એની જવાબદારી પૂર્વ આઇબી નિદેશક દિનેશ્વર શર્માને આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ જણાવ્યું કે દિનેશ્વર શર્મા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યના રાજકીય દળોની સાથે સ્થાનિક સંગઠનો સાથે વાતચીત કરશે. એના માટે એમને પૂરા અધિકાર આપવામાં આવ્યા છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં રાજનાથે જણાવ્યું કે કેન્દ્ર તરફથી પૂર્વ આઇબી નિદેશક દિનેશ્વર શર્માને આ જવાબદારી સોંપવામાં આવી છે. એમને કેબિનેટ સચિવ સ્તરનો દરજ્જો આપતાં વાતચીત માટે તમામ છૂટ આપવામાં આવી છે. એ ઇચ્છે એમની સાથે વાત કરે સરકાર તરફથી પૂરો અધિકારી આપવામાં આવ્યો છે.
રાજનાથ બોલ્યા કે કાશ્મીરમાં સતત વાતચીત દ્વારા બાબત પતાવવા માંગ ઊઠી રહી હતી એને જોતા કેન્દ્ર સરકારે પણ વાતચીતની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.