દેશભરમાં કરોડો વિધવાઓ દિવ્યાંગો અને સીનિયર સિટીઝનને મળનારી પેન્શન રકમમાં વધારો થઇ શકે છે. કેન્દ્ર સરકાર એના માટે જલ્દી આવનારી GST કમાણીના આંકડાઓ પર નજર રાખી રહી છે ત્યારબાદ એની પર નિર્ણય લેવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર એના માટે કેન્દ્ર સરકારે ઢાંચો તૈયાર કરી લીધો છે. સૂત્રો અનુસાર કેન્દ્રએ જે ઢાંચો તૈયાર કર્યો છે એનાથી કેન્દ્રીય બજેટ પર 12 હજાર કરોડનો વધારે ભાર પડશે. હાલ બજેટમાં એના માટે 9500 કરોડ રૂપિયાની જોગવાઇ છે. જો સરકાર પોતાની તરફથી પેન્શન યોજનાઓની રાશીમાં વધારો કરે છે તો એને 22 હજાર કરોડ રૂપિયા વધારે ફંડની જરૂર પડશે.
કેન્દ્રએ જીએસટી દ્વારા રાજ્યોની કમાણીનો 40 ટકા ભાગ પેન્શન યોજનાઓ પર ખર્ચ કરવાની તૈયારી કરી લીધી છે. હાલમાં આ યોજનાઓ પર પૂરેપૂરો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. હાલમાં વૃદ્ધાવસ્થા પેન્શન સ્કીમમાં દર મહીને સીનિયર સિટીઝનને 200 રૂપિયા પેન્શન મળે છે. એને 500 રૂપિયા કરવાનો પ્લાન છે.
સરકાર હવે એવી વિધવાઓને પેન્શન આપશે જેની ઉંમર 18 થી 39 વર્ષની વચ્ચે છે. જો આ મહિલાઓ ફરીથી લગ્ન કરવાનું વિચારે છે તો એમને બીજા લગ્ન માટે પણ આર્થિક મદદ આપવામાં આવશે. હાલમાં 40 વર્ષની ઉપર મહિલાઓને જ વિધવા પેન્શનનો લાભ મળે છે.
તો બીજી બાજુ દિવ્યાંગોને 40 ટકા વિકલાંગતા પર પણ પેન્શન મળશે. હાલમાં એના માટે 80 ટકા દિવ્યાંગ હોવા જરૂરી છે. એમની પેન્શન રકમ પણ 300 રૂપિયાથી વધારીને 500 રૂપિયા પ્રતિ મહીના કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.