રોહિંગ્યા મુસ્લિમોને પાછા મ્યાનમાર મોકલવાની યોજના પર કેદ્ર સરકારે 16 પાનાનું સોગંદનામુ દાખલ કર્યું છે. આ સોગંદનામામાં કેદ્રએ કહ્યું છે કે કેટલાક રોહિંગ્યા શરણાર્થીઓનો પાકિસ્તાનમાં આવેલા આતંકી સંગઠનો સાથે સંપર્ક છે.
આવામાં રાષ્ટ્રીય સુરક્ષા તરીકે ખતરો ઉભો થઇ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કેદ્રએ આશંકા વ્યકત કરી છે કે ગેરકાયદે રોહિંગ્યા શરણાર્થીઓ ભારતમાં આવવાથી ક્ષેત્રની સ્થિરતાને પણ નુકસાન પહોચી શકે છે. જો કે મોદીએ રોહિંગ્યા શરણાર્થીઓ પર ચિંતા પણ વ્યક્ત કરી હતી.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે મ્યાનમારના રોહિંગિયા સમુદાયના ભાવિ માટે તેની વ્યૂહરચના શું છે તે પુછ્યું હતુ. જે ભારતમાં ગેરકાયદેસર રહેતા હતાતેની રોહિંગિયા સમુદાયને મ્યાનમાર પાછા મોકલવાના નિર્ણયની સામે સરકારે આ અરજી સાંભળીને સ્વીકારીને કોર્ટે સરકારને જવાબ આપવા કહ્યું હતું.
રોહિંગ્યાશરણાર્થીઓ મોહમ્મદ સલીમુલ્લાહ અને મોહમ્મદ શાકિર દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં મ્યાનમારમાં પરત ફરવા માટે સરકારની યોજનાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર નિયમોના ઉલ્લંઘન તરીકે વર્ણવવામાં આવ્યું છે.