જુનાગઢઃ મહાશિવરાત્રીના પર્વની જૂનાગઢમાં હર્ષો ઉલ્લાસ સાથે 5 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢના ભવનાથમાં વર્ષોથી શિવરાત્રીના મેળાનું આયોજન થાય છે. આ મેળાનો આજથી પ્રારંભ થશે. ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરીને મેળાનો પ્રારંભ કરવામાં આવશે.
આ ધ્વજારોહણ સાધુ સંતો દ્વારા કરવામાં આવશે. આ મેળામાં લાખો શ્રદ્ઘાળુઓ ભાગ લેશે. આ મેળામાં દેશભરમાંથી દિગમ્બર સાધુઓ આવે છે અને શિવરાત્રીની રાત્રે ભવનાથમાં નાગાસાધુઓની રવાડી નિકળે છે. ત્યાર બાદ સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે.
મહત્વનું છે કે અહીં વર્ષોથી શિવરાત્રી મેળો ભરાય છે. એવું માનવામાં આવે છે કે આ મેળામાં સર્વે સાધુ અને સંતોને જયાં હોય ત્યાંથી એક વાર આવવું આવશ્યક છે. ગેબમાં રહેતાં અને અપ્રગટ રહેતા અઘોરી સાધુઓ પણ આ મેળામાં ભવનાથના દર્શને અને મુર્ગીકુડમાં શિવરાત્રીનું સ્નાન કરવા આવે છે.