ધર્માંતરણનો મુદ્દો આજે દેશભરમાં જાણીતો બની ગયો છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જીલ્લામાં સામે આવતાં 30 પાદરીઓની ધર્માંતરણ કરાવવાનાં આરોપ માંટે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતા સંગઠન બજરંગદળે આરોપ મુક્યો હતો કે કેટલાક લોકો દ્વારા ધર્માતરણની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃતિ કરાવતા 30 ની પોલીસે તાત્કાલીક અસરથી ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેટલાક પાદરીઓ પણ આ બાબતે જણાવ્યું હતુ કે પોલીસ સ્ટેશનમાં બજરંગદળોના લોકોએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. જો કે આ વાતને પોલીસે અને બજરંગદળ બંનેએ નકારી કાઢ્યો હતો.
એક વાત એવી પણ સામે આવી હતી કે ગઇકાલે સિવીલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કેટલાક લોકો વિશે પુછવા આવેલ ઇસાઇ ધર્મના 8 પાદરીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ગાડી સળગાવવામાં આવી હતી.
પોલીસને આ બાબતે પુછવામાં આવતા પોલીસે જણાવ્યું હતુ કે આ ગાડી કોણે સળગાવી એ અમને ખબર નથી. જો કે પોલીસે IPC ધારા 435 મુજબ કેસ દાખલ કરી લીધો છે.