ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને કેશલેસ નાંણાકિય વ્યવહારને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના આ વિચારને ભારતનાં મોટા ભાગના લોકોએ સ્વીકારી લીધેલ છે ત્યારે ગુજરાતમાં એક જગ્યા પર એક એવુ મંદીર આવેલ છે જ્યાં સમગ્ર મંદિરમાં નાંણાકિય વ્યવહાર રોકડમાં નહીં પરંતુ કેશલેસ કરવામાં આવેલ છે.
આપણાં શાસ્ત્રોમાં એવુ કહેવાય છે કે ભગવાન પાસે દરેક પ્રકારની ચિંતા વગર લીધા વગર જઇ શકાય છે અને ભગવાનના મંદિરમાં જવાથી દરેક પ્રકારની ચિંતા અને દુ:ખ તાત્કાલિક અસરથી દુર થાય છે પરંતુ ભગવાનનાં મંદિરમાં હવે ખાલી ખિસ્સે પણ જઇ શકાય છે. જેમ દેશ હવે કેશલેસ તરફ વળ્યો છે તેમ ભગવાનનાં મંદિર પણ કેશલેસ તરફ વળ્યા છે આવુ જ ગુજરાતનું એક માત્ર મંદિર ભરૂચમાં આવેલ છે.
ગુજરાતનાં ભરૂચ શહેર સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર એંડ કેમિકલ્સ લીમીટેડ(GNFC)ની ટાઉનશીપમાં આવેલ આ મંદિરમાં નાણાંકિય વ્યવહારો રોકડમાં નહીં પરંતુ કેસલેશ કરાવામાં આવે છે. ભરૂચ ખાતે આવેલ આ મંદિરનું નામ જન વિકાસ મંદિર છે. આ મંદિરનું સંચાલન કમ્યુનિટી ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.
GNFC નાં મુખ્ય પ્રબંધક સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાંવ્યુ હતુ કે આ મંદિર એક વર્ષથી આ કેસલેશ સિસ્ટમથી ચાલી રહ્યુ છે. અહીં તમામ પ્રકારના વ્યવહાર કેસલેસ કરવામાં આવે છે.
મુખ્ય પ્રબંધકે વધુમાં જણાવ્યું હતુ કે અમારા દ્વારા આ સિસ્ટમ કરવાનુ કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ દેશને કેશલેસ તરફ વાળવાનાં અભિયાનને પ્રોત્સાહન આપવાનું છે. GNFC ની અમારી આખી ટાઉનશીપ કેશલેસ તરફ વળી છે અને અહીંનો દરેક પરીવાર આ પ્રથામાં માને છે. ગુજરાતનાં જગતમંદિર તરીકેની ઓળખ પામેલ જગત મંદિર દ્વારકા અને 51 શક્તિપીઠમાં સ્થાન પામેલ અંબાજી મંદિર ખાતે પણ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ કેશલેસ વ્યવહારની સુવિધા શરૂ કરી છે.