જો તમારી પાસે ગાડી છે અને તમે LPGની સબસિડી પણ લઇ રહ્યો છોતો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છેજેનાથી દેશમાં જેટલા લોકો પાસે ગાડીઓ છેતેમણે ગેસ સબસિડી આપવાની બંધ કરી દેવામાં આવશે.
એક રિપોર્ટ અનુસારમોદી સરકાર LPG સબસિડીમાં ખર્ચ થતા રૂપિયાને બચાવવા માટે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. રિપોર્ટ અનુસારપ્રસ્તાવ તૈયાર કરવા માટે કેટલાક રાજ્યોના RTO ઑફિસમાંથી ડેટાની માહિતી એકઠી કરી દેવામાં આવી છે.
સૂત્રોનુસારહાલમાં સમયમાં એવા લોકો પણ સબસિડી લઇ રહ્યા છેજેમની પાસે 2-3 ગાડીઓ હોય છે. એવામાં મોદી સરકાર LPG સબસિડીના રૂપિયા બચાવવા માટે આ પગલું લઇ શકે છે. ગત વર્ષે કેન્દ્ર સરકારે તે લોકોને સબસિડીના લાભથી બહાર રાખ્યા હતાજે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે હોય. આ સિવાય મોદી સરાકર પોતાના સ્તર પર જ લોકોને સબસિડીને છોડવા માટે લોકોન પ્રોત્સાહિત કર્યા હતાતે માટે 'Givitup' કેમ્પન ચલાવવામાં આવ્યું હતુ.
જોકે તમામ કારના માલિકોની પાસેથી સબસિડી પરત લેવાનો આશય મોદી સરકારનો નહી હોય. એક્સપર્ટ અનુસારઆ કામ વધારે મુશ્કેલ છે. કેમકે કાર માલિકો અને તેના સરનામાંને વેરિફાઇ કરવું પણ જરૂરી છે.
તમને જણાવી દઇએ કેહાલના સમયમાં મળતી LPGની સબસિડી સીધા તમારા બેંકના ખાતામાં જમા થાય છે.