સાબરકાંઠાઃ હિંમતનગરના ગઢોડા પાટિયા નજીક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. ગઢોડા પાટિયા નજીક બાંકડા પર બેઠેલા બે બાળકોને પુરપાટ આવતી કારે અડફેટે લીધા હતા. જ્યાં આ બન્ને માસૂમોનુ ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયુ હતું. આ ઘટનામાં એક સગર્ભા મહિલા સહિત અન્ય 3 વ્યક્તિઓને ઇજા થઈ હતી.
મહત્વનું છે કે બેફિકરાયથી પુરપાટ ઝડપે આવતી કારે બાંકડા પર બેઠેલા બે બાળકોને અડફેટે લીધા હતા. જેમાં ઘટનાસ્થળે બન્ને બાળકોના મોત નિપજ્યાં હતા. જ્યારે એક સગર્ભા મહિલા સહિત 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.