ગાંઘીનગર: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો આજરોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પીએમ જસ્ટીન ટ્રુડો સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ટ્રુડો એરોપોર્ટથી સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. અને તેમને ચરખો ચવાલ્યો હતો અને વિઝીટર બુકમાં મેસેજ લખ્યો હતો.
ત્યારબાદ તેમણે અક્ષરધામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું અને તેમના પરિવારનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રુડો અક્ષરધામ મંદિરને જોઇને ખુશ થયા હતા. જસ્ટિન ટ્રુડો પત્ની બાળકો સાથે ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અક્ષરધામની મુલાકાત બાદ તેઓ હયાત હોટલ પહોંચ્યા હતા અને લંચ લેશે. ત્યારબાદ તેઓ અમદાવાદની IIMની મુલાકાતને લઇને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ બેઠક યોજશે.