મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 17 શ્રધ્ધાળુઓને લઇને નીકળેલી એક મીની બસ પંચગંગા નદીમાં ખાબકતા 13 લોકોના મોત થયાં હોવાની ઘટના સામે આવી હતી.આ ઘટનાને પગલે રેસ્કયું ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે તમામ મુસાફરો ભગવાન ગણેશના મંદિરની પૂજા કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે બસના ડ્રાઈવરે અચાનક પોતાનું નિયંત્રણ ગુમાવ્યુ આ મીની બસ પંચગંગા નદીમાં ખાબકી હતી.જો કે તાજેતરમાં મળેલ માહિતીમાં એક વાત એવી પણ ધ્યાને આવી હતી કે બસનો ચાલક નશામાં હતો.આપને જણાવી દઇએ કે બસમાં કુલ 17 શ્રધ્ધાળુઓ સવાર હતા.
કોલ્હાપુરના એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે થયેલ વાતચીતમાં મુજબ આ ઘટના શિવાજી પુલ પર રાત્રે અંદાજે 11.45 કલાકે બની હતી જ્યારે કોંકણ ક્ષેત્રના ગણપતિપૂડી ગામથી પૂણે તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથેના આ બસ નીચે પડી હતી. બસ અંદાજે 45 ફીટ નીચે નદીમાં ખાબકી હતી. આ શ્રદ્ધાળુઓએ પૂણે જતા સમયે કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિરની મુસાફરી કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
ઘટના સ્થળની પાસે એક વ્યક્તિએ બસના નદીમાં પડી જવાની જાણ પોલીસને કરી હતી. જેના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ બસને શોધ અને બચાવ અભિયાન શરૂ કરાયું હતું. બચાવ કાર્યમાં સ્થાનિક લોકો મદદ કરી હતી.