જૂનાગઢઃ બુલેટ ટ્રેનને લઇ ભાજપ કોંગ્રેસ સામ-સામે આવી ગયા. જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર અતુલ શેખડા દ્વારા બુલેટ ટ્રેન વિશે RTI કરી માહિતી માંગવામાં આવી હતી. જેમાં વિદેશ મંત્રાલય દ્વારા આવા કોઈપણ પ્રકારના MOU થયા નથી તેવી જાણકારી મળી હતી.
તેમના સમર્થનમાં મનીશ દોશી એ જણાવ્યું હતુ કે જુઠુ બોલવું જોરથી બોલવું અને વારંવાર બોલવાની ભાજપની નિતી રહી છે. હવે તેનો વધુ એક પરપોટો ફુટી ગયો છે.
આ મામલે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન મામલે કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. સિંઝો આબે 2015માં આવ્યા હતા ત્યારે MOU થયા હતા.