બીએમસીએ અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાના જુહુ હાઉસ રામાયણમાં બુલડોઝર ચલાવ્યું છે. 8 માળની ઇમારતની અંદરના ઘણા ગેરકાયદેસર કરેલું બાંધકામ તોડી નાખવામાં આવ્યું છે. શત્રુઘ્ન સિંહાના ઘરમાં આ ફોટામાં ડિમોલિશન સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
બીએમસીની કાર્યવાહી દરમિયાન શત્રુઘ્ન સિંહાએ અધિકારીઓ સાથે સહયોગ આપ્યું. તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના ફેરફારો કરવામાં આવ્યા હતા. સિંહાએ આ મકાનના ગેરકાયદેસર કરેલું બાંધકામ હટાવવામાં બીએમસી કર્મચારીઓને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે.
વાત સ્પષ્ટ કરતા સિંહાએ કહ્યું હતું કે એમણે આ રેસ્ટરૂમ કામદારો ઉપયોગ કરી શકે તે માટે બનાવ્યું હતું અને જે મંદિર બનાવ્યું હતું એ હાલ પૂરતું ખસેડવામાં આવ્યું છે.
બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ એમપીના ઘરે બે ટોયલેટ અને એક પેન્ટ્રીનું ગેરકાયદે બાંધકામ હતું. એક ટોઇલેટ ટેરેસ અને ઓફિસમાં હતી. આ સિવાય બિલ્ડિંગમાં એક પૂજાઘરનું બાંધકામ ગેરકાયદે બાંધકામના હેઠળ આવે છે.
પૂજાઘરના સિવાયના અન્ય તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ શત્રુઘ્ન સિંહાને પૂજાઘર ખસેડવાનો આદેશ આપ્યો છે. એમપી શત્રુઘ્ન સિંહા વિરુદ્ધ પોલીસનો કેસ નોંધવામાં આવશે. ઉપરાંત આ ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ પણ વસુલવામાં આવશે.
સિવિક અધિકારીઓને જાણવા મળ્યું છે કે તેઓએ ત્રણ મહિના પહેલાં આ ફરિયાદ પ્રાપ્ત કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સિંહાએ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને ગેરકાયદેસર રીતે બાંધકામનું સર્જન કર્યું હતું.
શત્રુધ્ન સિંહાને ગત વર્ષે 6 ડિસેમ્બરના રોજ બીએમસી તરફથી પ્રથમ નોટિસ મળી હતી. નોટિસના એક દિવસ પહેલાં તેમણે ભાજપના નેતા યશવંત સિંહાના પક્ષ સામે વિપક્ષી ઝુંબેશને સમર્થન આપ્યું હતું.
શું યશવંત સિંહાના ટેકાને કારણે તેના ઘરે બીએમસીની કાર્યવાહી કરવામાં હતી?