બૌદ્ધ ધર્મના સંતો દ્વારા ચાલી રહેલી બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધિષ્ટ કોન્ફ્રન્સ તારીખ 23 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. જેમા ચિન જાપાન સહિત અલગ અલગ દેશોના 300થી વધારે બૌદ્ધ સંતો ઉપસ્થીત રહ્યા છે. ત્યારે આજે આ કોફ્રન્સમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે અરવલ્લી જીલ્લાના શામળાજી પાસે આવેલા દેવની મોરી પાસે જ્યારે મેશ્ર્વો ડેમનું ખોદકામ ચાલી રહ્યુ હતુ તે સમયે ભગવાન બુદ્ધના જે અવશેષો મળી આવ્યા હતા તે સ્થાનને બૌદ્ધ યાત્રા ધામ બનાવવામાં આવશે અને ભારતીય બૌદ્ધ સમાજના અધ્યક્ષે વધુમાં આ વિશે જણાવ્યુ હતુ કે આ સ્થાનકને ભારત સરકાર તેમજ જાપાન સરકારના સંયુક્ત ઉપક્રમે 1000 કરોડનાં ખર્ચે બૌદ્ધ વિહાર હેરીટેજ તરીકે વિક્સાવવામાં આવશે.
બૌદ્ધિષ્ટ કોન્ફ્રન્સમાં લેવાયો મહત્વનો નિર્ણય
અલગ અલગ દેશોના 300થી વધુ બૌદ્ધ સંતો ઉપસ્થિત
ખોદકામમાં મળેલા અવશેષો ભગવાન બુદ્ધનાં હોવાની ખરાઈ
મેશ્વો ડેમના ખોદકામ વખતે મળ્યા હતા ભગવાન બુદ્ધનાં અવશેષો
1000 કરોડના ખર્ચે દેવની મોરીને બનાવાશે વિશાળ યાત્રાધામ