બીએસપીના પ્રમુખ માયાવતી પોતાની રાજકીય તાકાતનો ટેસ્ટ લેવા માટે રેલી કરવા જઇ રહી છે. રાજ્યસભામાં રાજીનામું આપ્યા બાદ માયાવતી 18 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ રેલી મેર"માં કરવા જઇ રહી છે.
BSP આ રેલીમાં ભીડ એકત્ર કરીને વિરોધી દળોને પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે માયાવતીએ પોતાના મજબૂત ગઢ ગણાતા પશ્ચિમ ઉાર પ્રદેશને પસંદ કર્યું છે. આ રેલીમાં મેર" અને સહારનપુર મંડળના લોકો પણ સામેલ થવાના છે.
માયાવતી જાણે છે કે તેની આ રેલી પર મિત્રોની સાથે દુશ્મનોની પણ નજર રહેવાની છે. એટલે તેઓ પોતાની આ રેલીને દમદાર બનાવવામાં કોઇ કચાસ છોડવા માગતા નથી.