મથુરામાં યમદ્વિતીયા પર સ્નાન કરવા આવેલા ભાઇ અને બહેનનુંં યમુનાના બંગાળી ઘાટ પર ડૂબવાના કારણે અવસાન થયું છે. બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ ભાઇ ન મળ્યો હોવાથી તેની શોધખોળ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે મૃતકોની ઓળખ કરવામાં આવતા કાંશીરામ કોલોની નિવાસી ભોલા અને ભરતપુરની રહેવાસી બહેન ગૌરી હોવાનું માલુમ પડ્યુ હતું. આ ઘટના બાદ તંત્રની વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે.