બ્રહ્મવૈવર્તપુરાણમાં કેટલાક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જે દિવસોએ પતિ-પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ. આ દિવસો કોઈ પણ સ્વરૂપમાં શારિરીક સંબંધો સ્થાપિત કરવા માટે અશુભ છે. અને આમ કરનારને ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
અમાસ:
ગ્રંથો અનુસાર અમાસના દિવસે પતિ-પત્નીએ એકબીજા સાથે શારિરીક સંબંધ ન બાંધવો જોઇએ તેનાથી તેમનું લગ્ન જીવન પ્રભાવિત થાય છે.
પૂનમ:
આ ઉપરાંત પૂનમના દિવસે પણ વિવાહિત યુગલે એકબીજાથી દૂર રહેવું જોઇએ.
ચતુર્થી-અષ્ટમી:
તિથી પ્રમાણે ચોથ અને આઠમનાં દિવસે પરિણીત દંપતીએ એકબીજાના દૂર રહેવુ જોઇએ.
વ્રત-ઉપવાસ:
જે દિવસે સ્ત્રી કે પુરુષે ઉપવાસ કર્યો હોય તે દિવસે પાર્ટનરની સાથે શારિરીક સંબંધ ન બાંધવો જોઇએ.
શ્રાદ્ઘ અથવા પિતૃ પક્ષ:
શ્રાદ્ઘ અથવા પિતૃ પક્ષે પણ પતિ-પત્નીએ સંબંધ બાંધવા વિશે વિચારવું પણ પાપ ગણાય છે.
સંક્રાંતિ:
સંક્રમણના સમયે પતિ-પત્નીને નિકટતા માટે સારો નથી ગણવામાં આવતો માટે આ સમય દરમિયાન તેમણે સંયમ રાખવો જોઇએ.
નવરાત્રિ:
નવરાત્રીમાં હિન્દૂ ધર્મના સૌથી પવિત્ર દિવસોમાં ગણવામાં આવે છે આ દિવસે પુરુષ-સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધો સ્થાપિત ન કરવા જોઇએ.