ભાવનગર: બોટાદના ગઢડાની લિબાળી ગામમાં વાલીઓ દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે.મહત્વનુ છે કે શાળામાં શિક્ષકોની અછત હોવા છતા સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.. જેથી બાળકો ભણી શકતા નથી.ત્યારે હવે આ મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
વાલીઓએ આ રોષને પગલે સ્કૂલમાં તાળાબંધી કરી છે.આ ઉપરાંત આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી નહિં કરવામાં આવે તે વાલીઓ દ્વારા અન્ય સ્કૂલોમાં પણ તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મહત્વનુ છે કે સરકાર દ્વારા શિક્ષણ માટે અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ હજી પણ બોટાદમાં શિક્ષકોની અછત હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યુ છે.