મુંબઇ: મુંબઇમાં ફેરિયાઓ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે વિરૂદ્ધ માથું ઉચક્યું છે. ફેરિયાઓએ શનિવારે મુંબઇના મલાડમાં મનસે કાર્યકર્તાઓની ધુલાઇ કરી દીધી. ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
એલફિંસ્ટન રોડ રેલવે સ્ટેશન પર પુલ દુર્ઘટના બાદથી મનસેએ રેલવે સ્ટેશન પરિસરો પર કબ્જોય જમાવી લીધો છે અને ફેરિયાઓ પર તવાઇ બોલાવી છે. મનસેના કાર્યકર્તાઓની ગુંડાગીરીથી કંટાળીને ફરિયાવાળાઓએ કાર્યકર્તાઓ પર હલ્લાબોલ કર્યું છે અને તેમને માર માર્યો છે.