હંમેશા લોકોને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારા રક્તદાનને કારણે કોઈનું જીવન બચી શકે છે. પરંતુ ઘણાં લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં બિમારી આવી જાય છે અને તેનાથી શરીર નબળું પડી જાય છે અથવા તો HIV થવાનો ભય પણ રહે છે. તમને જણાવી દઈએ કે બ્લડ ડોનેટ કરવાથી બીમારી કે અશક્તિ નથી આવતી ઉપરથી બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને પણ અમુક ફાયદા થાય છે.
બ્લડ ડોનેટ કરવાથી હાર્ટ એટેક આવવાની સંભાવવાના ઓછી થઇ જાય છે. કારણ કે રક્તદાન કરવાથી લોહી અમુક પ્રમાણમાં પાતળું થઇ જાય છે અને તેનાથી લોહી ગંઢાઇ જવાનીકે બ્લોકેજની સમસ્યા પણ ઉભી થતી નથી.
બ્લડ ડોનેટ કરવાથી હાર્ટ અટેકની સંભાવના ઓછી થાય છે. કારણકે રક્તદાન કરવાથી લોહી અમુક પ્રમાણમાં પાતળું થઈ જાય છે અને તેનાથી લોહી ગંઠાઈ જવાની કે બ્લોકેજની સમસ્યાઓ નથી ઉભી થતી.
શરીરમાં વધારે પ્રમાણમાં આયર્ન હોય તો તે લિવર પર પ્રેશર નાખે છે. રક્તદાન કરવાથી આયર્નનું પ્રમાણ બેલેન્સ થઈ જાય છે અને લિવરને લગતી સમસ્યાઓથી રાહત મળે છે.
બ્લડ ડોનેટ કરતા રાખો આ વાતોનું ધ્યાન:
18 વર્ષની ઉંમર પછી જ રક્તદાન કરો.
રક્તદાતાનું વજન 45થી 50 કિલોગ્રામથી ઓછું ન હોય.
રક્તદાન કર્યાના 24 કલાક પહેલાથી કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો.
મેડિકલ તપાસ કર્યા પછી જ રક્તદાન કરો અને સુનિશ્ચિત કરો કે તમને કોઈ બીમારી ન હોય.
રક્તદાન કરતા પહેલા પૂરતી ઉંઘ લો તેલવાળું કે આઇસક્રીમ ખાવાનું અવોઇડ કરો.
શરીરમાં આયર્નની માત્રા ભરપૂર રાખો આ માટે રક્તદાન પહેલા ખાવામાં માછલી બિન્સ પાલક દ્રાશ અથવા તો કોઇ પણ આયર્નથી ભરપૂર ચીજવસ્તુઓનું સેવન કરો.