પાટણમાં દલિત આગેવાન ભાનુભાઈનુ મોત નિપજ્યુ છે.જેના ભાગરૂપે દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ઊંઝામાં દલિત સમાજના લોકોએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો છે.તો બીજી તરફ ગાંધીનગરમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે.
દલિત સમાજના લોકોએ સિવિલ હોસ્પિટલની બહાર ચક્કાજામ કર્યો છે.આ ઉપરાંત દલિત સમાજના લોકોએ પાટણ-ચણસ્મા હાઈવે પર ચક્કાજામ કર્યો છે.લીલીવાડી રોડ઼ પર દલિત સમાજના લોકોએ ટાયર સળગાવીને વિરોધ કર્યો છે.કલેક્ટર આનંદ પટેલનું પૂતળો બાળીને લોકોએ વિરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણા-સોમનાથ ચાર રસ્તા પાસે પણ દલિત સમાજના લોકોએ ચક્કાજામ કર્યો છે.દલિત સમાજના લોકોએ રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે.આ ઉપરાંત આત્મવિલોપનના પડઘા મોરબીમાં પણ જોવા મળ્યા છે.
મોરબીના નટરાજ ફાટક પાસે દલિત સમાજના લોકો ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે.આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે LCB અને SOG પોલીસ ગોઠવી દેવામાં આવી છે.