કાળાનાણાંને સફેદ કરવાના પ્રયાસમાં મોટો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારને કેટલીક જાણકારીઓ મળી છે. જેમાં લગભગ 13 બેંકોના લેવડ-દેવડની જાણકારી મળી છે. નકલી કંપનીઓ દ્વારા કાળાનાણાને સફેદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેથી બે લાખથી વધુ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખુલાસામાં જાણવા મળ્યું છે કે અનેક કંપનીઓના 100-100 ખાતા ખોલવામાં આવ્યા હતા. નોટબંધી બાદ નકલી કંપનીઓએ લગભગ 45 હજાર કરોડની લેવડ-દેવડ કરી હતી.